written_by :   Zac Poonen categories :   The Home The Church Knowing God
WFTW Body: 

“તમે કોઈને દોષિત ન ઠરાવો, એ માટે કે તમને કોઈ દોષિત ન ઠરાવે. કેમ કે જેમ તમે બીજાને દોષિત ઠરાવશો તેમ તેઓ તમને પણ દોષિત ઠરાવશે. અને જે માપથી તમે માપી આપો છો, તેથી જ તમને માપી આપવામાં આવશે. અને તું તારી આંખમાંનો ભારોટિયો ધ્યાનમાં ન લાવતાં તારા ભાઈની આંખમાંનું તણખલું શા માટે જુએ છે? અથવા તું તારા ભાઈને કેમ કહેશે કે, ‘તારી આંખમાંથી તણખલું મને કાઢવા દે.’ પણ જો, તારી પોતાની જ આંખમાં તો ભારોટિયો છે! ઓ ઢોંગી, પહેલા તું પોતાની જ આંખમાંથી ભારોટિયો કાઢ, અને ત્યાર પછી તારા ભાઈની આંખમાંથી તણખલું કાઢવાને તને સારી રીતે સૂઝશે” (માથ્થી 7:1-5).

ખ્રિસ્તીઓમાં લોકોનો ન્યાય કરવો, બીજાઓને તુચ્છ ગણવા અને તેમને ધિક્કારવા એ દુઃખદ રીતે ખૂબ જ સામાન્ય પ્રથા છે. બીજાઓ વિશે મોટાભાગે કશું જાણતા ના હોય છતાં પોતાને બીજાઓ કરતાં શ્રેષ્ઠ માનવા એ ખ્રિસ્તીઓમાં એક સામાન્ય પ્રથા છે. હિબ્રૂઓને પત્ર 9:27 માં કહેવામાં આવ્યું છે, “જેમ માણસોને એક જ વાર મરવાનું, અને ત્યાર પછી તેમનો ન્યાય થાય એવું નિર્માણ થયેલું છે,” તો સર્વશક્તિમાન ઈશ્વર, આ સૃષ્ટિના સર્જનહાર, ક્યારે લોકોનો ન્યાય કરે છે? આ કલમ મુજબ, “એક વાર મરવું અને ત્યાર બાદ ન્યાય થાય છે.” તેથી ઈશ્વર મરણ પછી જ લોકોનો ન્યાય કરે છે.

તમે ક્યારે લોકોનો ન્યાય કરો છો? તમે લોકોનો ન્યાય તેમના મરણ પહેલાં જ કરો છો. ઈશ્વર કોઈ વ્યક્તિનો ન્યાય મરણ પહેલાં શું કામ નથી કરતા? તે દુષ્ટ વ્યક્તિ હોઈ શકે છે, પરંતુ ઈશ્વર કહે છે, "મને તેના માટે આશા છે. કદાચ તેનું બદલાણ થાય," અને તેથી ઈશ્વર રાહ જુએ છે. વિચારો કે જો ઈશ્વરે વધસ્તંભ પર મરતા ચોરનો ન્યાય કર્યો હોત, જે મરણ પહેલાં સ્વર્ગમાં ગયો હતો, તો શું થયું હોત. વિચારો કે જો ઈશ્વરે મરણ પહેલાં થોડી મિનિટો અથવા થોડા કલાકો પહેલાં પણ તેનો ન્યાય કર્યો હોત તો. તે ભયંકર હોત. તે આખરે સ્વર્ગમાં જવાને લાયક હતો, પરંતુ તેનો ન્યાય થયો હોત અને તેને નરકની સજા ફટકારવામાં આવી હોત. ઈશ્વર તેના મરણ સુધી રાહ જોતા હતા, અને પછી તેને સ્વર્ગમાં લઈ ગયા હતા. આ બતાવે છે કે ઈશ્વર કોઈ વ્યક્તિ મરણ પામે ત્યાં સુધી રાહ જુએ છે. માણસ અધીરો છે અને લોકોના મરણ પહેલાં જ તેનો ન્યાય કરે છે. આ માણસની મૂર્ખતા છે. તે બધી હકીકતો જાણતો નથી. તે વ્યક્તિના અંગત, આંતરિક જીવનનો 99% ભાગ જાણતો નથી. તે જાણતો નથી કે તે વ્યક્તિએ કેટલો સંઘર્ષ કર્યો છે અથવા પ્રાર્થના કરી છે, પરંતુ તે તેનો ન્યાય કરે છે. કોઈ પણ ગંભીર હાઈકોર્ટના ન્યાયાધીશ ક્યારેય આટલા ઓછા પુરાવા સાથે ન્યાય નહિ કરે. જો કોઈ ન્યાયાધીશ ફક્ત 1% કેસ જ જાણે છે, તો તે કહેશે, "સાંભળો, ચુકાદો આપતા પહેલા મને વધુ પુરાવાની જરૂર છે. ત્યાં સુધી, હું ચુકાદો સ્થગિત કરીશ." દરેક ખ્રિસ્તીએ પણ આ જ કહેવું જોઈએ.

જ્યારે આપણે કોઈ વ્યક્તિનો ન્યાય કરીએ છીએ, ત્યારે આપણે ખરેખર ફક્ત આપણા પોતાના હૃદયની સ્થિતિ બતાવી રહ્યા છીએ. જેમ નીતિવચનો 27:19 માં કહેવામાં આવ્યું છે, "જેમ [માણસના] ચહેરાની આબેહૂબ છબી પાણીમાં પડે છે, તેમ માણસના હ્રદયનું પ્રતિબિંબ સામા માણસ પર પડે છે." અથવા અરીસાની જેમ, માણસ પોતાનો ચહેરો જુએ છે. આનો અર્થ એ છે કે તમે ખરાબ હેતુથી કોઈ વ્યક્તિના હૃદયમાં જે શોધવાની કલ્પના કરો છો તે ફક્ત તમારા પોતાના હૃદયમાં રહેલા ખોટા વલણનો સંકેત છે. તમે વિચાર કરો કે માણસ સારા હેતુથી આવું કરી શકતો નથી. તમે વિચારો છો, "તે ખરાબ હેતુથી હોવું જોઈએ કારણ કે હું પોતે ફક્ત ખરાબ હેતુથી આવું કરીશ." તમે તમારા પોતાના હૃદયને પ્રગટ કરી રહ્યા છો. બીજા લોકોનો ન્યાય કરવો એ ખૂબ જ મૂર્ખામી છે.

ઉડાઉ દીકરાની વાર્તાનો વિચાર કરો. ઉડાઉ દીકરાની વાર્તામાં, આપણે મોટા દીકરા વિશે વાંચીએ છીએ. જ્યારે તેણે પિતાને ઉડાઉ દીકરાના પાછા ફરવા પર આનંદ કરતા જોયા ત્યારે તે ખૂબ જ નારાજ થયો. જ્યારે પિતા બહાર જાય છે અને મોટા દીકરાને પૂછે છે કે તે અંદર કેમ નથી આવ્યો, ત્યારે જુઓ કે તે લૂક 15:30 માં શું કહે છે, "આ તમારો દીકરો." તે તેને "મારો ભાઈ" પણ કહેતો નથી. બોલવાની કેટલી ધિક્કારપાત્ર રીત. "વેશ્યાઓની સાથે તમારી મિલકત ખાઈ ગયો." તેને કેવી રીતે ખબર પડી? તેણે કેવી રીતે કલ્પના કરી કે તેનો નાનો ભાઈ વેશ્યાઓ સાથે ફરતો હતો? શું કોઈએ આવીને તેને આ વાતની જાણ કરી? બિલકુલ નહિ. તેણે ધાર્યું કે આ માણસ, તેનો નાનો ભાઈ, વેશ્યાઓ પર પૈસા ખર્ચી રહ્યો હશે. તે બિલકુલ સાચું ન હોય. તે કદાચ દારૂ પીતો હશે અને મૂર્ખાઈભરી રીતે પોતાના પૈસા બગાડતો હશે, પણ કદાચ વેશ્યાઓ પર નહિ. પરંતુ જ્યારે તમે આ મોટા ભાઈના પોતાના નાના ભાઈ પ્રત્યેના વલણ જેવું ખોટું વલણ ધરાવો છો, ત્યારે તમે હંમેશા બીજા વ્યક્તિ વિશે સૌથી ખરાબની કલ્પના કરી શકો છો. અને જ્યારે પણ તમે કોઈ બીજા વિશે સૌથી ખરાબની કલ્પના કરો છો, ત્યારે તમે જાણી શકો છો કે સમસ્યા બીજી વ્યક્તિ કરતાં તમારી સાથે વધુ છે. બીજી વ્યક્તિ તેના પિતા સાથે ડાઇનિંગ ટેબલ પર બેસીને ચરબીયુક્ત વાછરડાનો આનંદ માણી શકે છે, અને તમે ઘરની બહાર પણ રહી શકો છો.

ઉડાઉ દીકરાની વાર્તા એક એવી વાર્તા છે જ્યાં વાર્તાની શરૂઆતમાં, નાનો દીકરો ઘરની બહાર હોય છે અને મોટો દીકરો અંદર હોય છે. વાર્તાના અંતે, નાનો દીકરો ઘરની અંદર હોય છે, અને મોટો દીકરો ઘરની બહાર હોય છે, કારણ કે તે લોકોનો ન્યાય કરી રહ્યો છે. ખાતરી કરો કે અપૂરતી માહિતી સાથે લોકોનો ન્યાય કરીને તમે પિતાના ઘરની બહાર ન રહી જાવ. સૌથી સલામત બાબત એ છે કે ન્યાય ન કરો.

ન્યાય ન કરો. ઈસુ કહે છે કે ભલે તમે ન્યાય કરી રહ્યા હોવ, તમે શું કરી રહ્યા છો, તમારા ભાઈની આંખમાંના નાના તણખલાનો ન્યાય કરી રહ્યા છો, જ્યારે તમારી પોતાની આંખમાં ભારોટિયો છે? તેમણે એ જ કહ્યું. વ્યક્તિની આંખમાં આ ભારોટિયો શું છે? તમારી આંખમાં ભૌતિક વસ્તુ ન હોઈ શકે. પરંતુ અહીં તેના પાપની તુલનામાં તમારા પાપ કેટલા ગંભીર છે તે બતાવવા માટે ઈસુ આ અતિશયોક્તિ કરી રહ્યા છે. માની લો કે, કદાચ તેણે કંઈક ભયંકર ખોટું કાર્ય કર્યું છે. પરંતુ તે વ્યક્તિ પ્રત્યેનું તમારું અપ્રિય વલણ એ તેનું પાપ જે એક તણખલા જેટલું છે તેની તુલનામાં ભારોટિયા જેવું છે.

કદાચ તે વેશ્યાઓ પાસે ગયો હતો. ઠીક છે, એ પાપ છે. પણ પછી એ પણ તમારા તેના પ્રત્યેના અપ્રિય વલણની સરખામણીમાં એક કણક છે. એ તો એક લાકડા જેવું છે. ઈશ્વર કહે છે કે બીજાઓ પ્રત્યેના તમારા અપ્રિય વલણથી છૂટકારો મેળવો. તે કહે છે કે એ વ્યક્તિ પ્રત્યેનું અપ્રિય વલણ તમને સતત તે વ્યક્તિમાં દોષ શોધવાની ઇચ્છા કરાવે છે. એ વ્યક્તિ ગમે તે કરે, તમે તેના માટે ખોટો હેતુ રાખો છો. એ વ્યક્તિ કંઈ સારું કરી શકતી નથી. એ વ્યક્તિ તમારી નજરમાં દુષ્ટ છે, પણ તમે એ વ્યક્તિ પ્રત્યે આવું અપ્રિય વલણ રાખવાથી કેટલા દુષ્ટ છો તે જોતા નથી. તો એ શું કહે છે? એક એવા માણસની કલ્પના કરો જેની દૃષ્ટિ ખૂબ જ નબળી છે. શું તમે એ વ્યક્તિ પાસે તમારી આંખમાંથી કંઈક કાઢવા જશો? શું તમે એવા આંખના ડૉક્ટર પાસે જશો જે મોતિયા અને આંખોની અન્ય સમસ્યાઓને કારણે લગભગ અંધ થઈ ગયો છે? તે તમારી આંખોમાં કેવી રીતે જોઈ શકે અને તેમાંથી એક નાનો કણક કાઢી શકે? હું એ વ્યક્તિની નજીક પણ જવા માંગતો નથી.

એવું ઈશ્વર કહે છે. જ્યારે તમારી આંખમાં એક મોટું તણખલું છે જેના લીધે તમે યોગ્ય રીતે જોઈ શકતા નથી, ત્યારે તમે તમારા ભાઈને કેવી રીતે કહી શકો, "મને તારી આંખમાંથી તણખલું કાઢવા દે?” તમે તેની આંખોને નુકસાન પહોંચાડી શકો છો. પણ પ્રભુ કહે છે, "ઓ ઢોંગી! તમારા પ્રેમહીન વલણને જુઓ." દરેક વ્યક્તિ જે બીજા વ્યક્તિ પ્રત્યે પ્રેમહીન વલણ ધરાવે છે અને તે વ્યક્તિનો ન્યાય કરે છે તે માથ્થી 7:5 મુજબ દંભી છે. પહેલા, આ પ્રેમહીન વલણથી છૂટકારો મેળવો, અને પછી તમે સ્પષ્ટ જોઈ શકશો. પછી તે ભાઈ પોતાની મેળે તમારી પાસે આવીને કહી શકે છે, "ભાઈ, કૃપા કરીને મારી આંખમાંથી તણખલું કાઢી આપ?" જ્યારે તમે આવી પરિસ્થિતિમાં આવો છો ત્યારે શું તે અદ્દભૂત બાબત નથી?