બાઇબલમાં આધીનતા એક સદ્દગુણ છે. પણ આજના જમાનામાં તેની ખાસ પ્રશંસા કરવામાં આવતી નથી, અથવા કદાચ તેને સદ્દગુણ તરીકે ગણવામાં પણ નથી આવતી. તમે કોઈ પણ બોર્ડ ઓફ ડિરેક્ટર્સને એવું જાહેર કરતા સાંભળશો નહિ કે તેમની કંપનીના મુખ્ય મૂલ્યોમાંનું એક આધીનતા છે. બિલકુલ અલગ, તે હાસ્યાસ્પદ લાગે છે તે હકીકત ફક્ત એ દર્શાવે છે કે આપણે આધીનતાના સાચા મહત્વને સમજવાથી કેટલા દૂર થઈ ગયા છીએ.
અને છતાં, આપણા સમાજની આ શબ્દ પ્રત્યેની સમજણ ટકી નહિ રહી હોવા છતાં, આધીનતા એ શાસ્ત્રોમાં જોવા મળતા સૌથી કિંમતી સદગુણોમાંથી એક છે. દરેક જગ્યાએ જ્યાં સંપૂર્ણ એકતા છે, ત્યાં આધીનતા છે: ઘરમાં, મંડળીમાં અને ત્રિએક ઈશ્વરમાં પણ.
ઈશ્વરને સંપૂર્ણ એકતાના ચોક્કસ ઉદાહરણ તરીકે લો, જે આધીનતા દ્વારા પૂર્ણ થાય છે. ઈસુ ખ્રિસ્ત, જે ભૂતકાળમાં તેમના પિતા અને પવિત્ર આત્મા સાથે સનાતન અને સમાન રીતે અસ્તિત્વમાં હતા, તે 33.5 વર્ષ સુધી સ્વેચ્છાએ પોતે આધીન રહ્યા, ફક્ત સ્વર્ગમાંના તેમના પિતાને જ નહિ (યોહાન 5:19,30,6:38, 8:28, 14:31), પણ પવિત્ર આત્માની આગેવાનીને પણ (માથ્થી 4:1, લૂક 4:1, માર્ક 1:12).
શું આપણે ઈસુ ખ્રિસ્તના જીવનમાં પ્રગટ થયેલા આધીનતાના કિંમતી ગુણને જોયો છે? શું આપણે તેને એક સદ્ગુણ તરીકે જોઈએ છીએ જે અનુસરવા યોગ્ય છે, અને આધીનતાનું હૃદય કેળવવાનો પ્રયાસ કરીએ છીએ?
મને ડર છે કે આ સમય અને આ યુગમાં, વિશ્વના મૂલ્યો આપણા પર દબાણ કરી રહ્યા છે, ત્યારે આપણે આ અમૂલ્ય સદ્ગુણના સાચા મૂલ્યને સ્વીકારવાનો ઇનકાર કરીએ છીએ, અથવા સરળતાથી અવગણીએ છીએ.
જો આપણને ડર હોય કે આધીનતા કોઈક રીતે આપણા જીવનનો આનંદ ઓછો કરી દેશે, તો આપણે ફક્ત ઈસુ ખ્રિસ્તના જીવનને જોવાની જરૂર છે કે શું આ સાચું છે. શું વિશ્વના ઇતિહાસમાં એમના કરતા વધુ આશીર્વાદિત જીવન કોઈ હતું? વધુ પરિપૂર્ણ જીવન? વધુ શક્તિશાળી જીવન? વધુ આનંદી જીવન? વધુ ફળદાયી જીવન?
હું દુનિયાના ઇતિહાસમાં ઈસુના જીવન કરતાં વધુ રોમાંચક જીવનની કલ્પના કરી શકતો નથી. જીવન, આરામ, આનંદ, શાંતિ અને શક્તિ અને આપણા જીવનમાં આપણને જોઈતી દરેક વસ્તુ માટે આપણા સ્વર્ગીય પિતા તરફ જોવા કરતાં વધુ રોમાંચક બીજું કંઈ નથી. આપણે જોશું કે આધીનતાનો માર્ગ એ આશીર્વાદનો માર્ગ છે, અને આધીનતા એ આપણે ખરેખર જે જોઈએ છે અને જેની જરૂર છે તે બધું પ્રાપ્ત કરવાની ચાવી છે.
જ્યારે આપણે આધીનતાનું મહત્વ સમજીએ છીએ ત્યારે એક છેતરામણો વિચાર આવી શકે છે: એવી માન્યતા કે "મારે ફક્ત ઈશ્વરને જ આધીન થવાની જરૂર છે." જ્યારે હું તો "બધા વિશ્વાસીઓના યાજકત્વ" માં માનું છું અને ઈસુ ખ્રિસ્ત સિવાય બીજા કોઈ મધ્યસ્થની જરૂર નથી (હિબ્રૂઓને પત્ર 7:25), એ નોંધવું પણ મહત્વપૂર્ણ છે કે, નવા કરારના યુગમાં પણ, આપણને "કોરાના બંડ" (યહૂદાનો પત્ર 1:11) થી આપણા હૃદયનું રક્ષણ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
કોરાનો બંડ એ ઈશ્વરે તેની ઉપર મૂકેલ સત્તાનો પ્રતિકાર હતો. છેવટે (તેના તર્ક મુજબ), તે લેવી હતો, અને ઈશ્વર દ્વારા આટલો ખાસ હોદ્દો મેળવનાર વ્યક્તિ તરીકે, તેણે બીજા કોઈ માણસને આધીન ન થવું જોઈએ. અને આપણા હૃદયમાં પણ એ જ વિચાર આવી શકે છે: મારી પાસે ઈસુ ખ્રિસ્ત છે, અને તેથી મને મારી મંડળીમાં કે અન્યથા કોઈ પણ આગેવાનને આધીન રહેવાની કોઈ જરૂર નથી કે એવી કોઈ આજ્ઞા નથી. પરંતુ કોરા આ વલણને કારણે નરક તેને સંપૂર્ણ રીતે ગળી ગયું હતું, અને તેથી યહૂદા આપણને ચેતવણી આપે છે કે આપણે તે જ પરિણામથી સાવધ રહીએ. ઈશ્વરે ટોળાના રક્ષણ માટે મંડળીમાં નેતૃત્વ મૂક્યું છે, અને ઈસુ ખ્રિસ્ત સિવાય બીજા કોઈને આધીન રહેવાની કલ્પનાને નકારી કાઢવી એ ઈશ્વરે તેમના શરીર માટે આપેલ રીતને નકારવા જેવું છે.
આ જ કારણ છે કે પિતરના બીજા પત્ર 2:10 માં પિતર ચેતવણી આપે છે કે, "દૈહિક વિકારો પ્રમાણે ચાલે છે, ને [પ્રભુના] અધિકારને તુચ્છ ગણે છે તેઓને ન્યાયકાળ સુધી શિક્ષાને માટે રાખી મૂકવાનું તે જાણે છે.” હકીકતમાં, તે "અધિકારને તુચ્છ ગણવાને" ને "વાસનામાં ડૂબેલા રહેવા" જેવા જ સ્તરે મૂકે છે. શું આપણે જોયું છે કે સત્તા હેઠળ રહેવાનો પ્રતિકાર કરવો એ આપણા આત્માઓ માટે "વાસનામાં ડૂબી જવા જેટલું જ વિનાશક છે?"
બાઇબલ કહે છે કે છેલ્લા દિવસો મંડળીમાં પણ છેતરપિંડી દ્વારા ચિહ્નિત થશે (મારે સત્તા હેઠળ રહેવાની જરૂર નથી). આ ખ્યાલ એક ખતરનાક છેતરપિંડી છે જેનાથી આપણે ખાસ કરીને સાવધ રહેવું જોઈએ. આપણે આધીનતાને એક એવો ગુણ બનાવવા માટે લડવું જોઈએ જે આપણા સન્માન અને જીવનમાં વધતો જાય.
તેથી, જ્યારે આધીનતાનો વિષય આવે છે, ત્યારે તે શબ્દ સાંભળીને નારાજ થવાની અથવા ચિડાઈ જવાની આપણી ત્વરિત પ્રતિક્રિયાને ચાલો આપણે પારખીએ. જ્યારે શાસ્ત્રના ફકરાઓની ચર્ચા કરવામાં આવે છે જે આધીનતાના ગુણ (અથવા આધીનતના સીધા આદેશ) ની પ્રશંસા કરે છે, ત્યારે ચાલો આપણે આને એવા વચનો તરીકે પણ જોઈએ જે આનંદ અને આરામના આશીર્વાદિત જીવનની ચાવી પૂરી પાડે છે. આપણે આ આજ્ઞાથી પાછા ન હટીએ, પરંતુ તેના બદલે આપણે પોતાને ધન્ય માનીએ, કારણ કે આત્યંતિક આધીનતાનું વલણ આપણી પાસે જે કંઈ પણ ચોક્કસપણે લાવશે તે બધું પ્રાપ્ત કરવાની આ એક તક છે.