written_by :   Zac Poonen categories :   The Home Knowing God Disciples
WFTW Body: 

જ્યારે ઈશ્વર ઈઝરાયલને મિસરની ગુલામીમાંથી બહાર લાવ્યા અને તેમને અરણ્યમાંથી દોરી રહ્યા હતા, ત્યારે તેમણે તેમને આજ્ઞા આપી, "તેઓ મારે માટે પવિત્ર સ્થાન બનાવે કે, હું તેઓ મધ્યે રહું" (નિર્ગમન 25:8). આ પવિત્રસ્થાનને મુલાકાતમંડપ કહેવામાં આવતો હતો અને પછીથી ઈઝરાયલીઓ કનાનમાં પ્રવેશ્યા પછી તેનું સ્થાન મંદિરે લીધું.

આ કલમમાં આપણે જોઈએ છીએ કે ઈશ્વરને તેમના લોકોની મધ્યે રહેવાની ઈચ્છા હતી. ખ્રિસ્તના આગમન પછી, ઈશ્વર હવે કોઈપણ પૃથ્વી પરના મકાનમાં રહેતા નથી. તે હવે માનવ હૃદયો અને ઘરોમાં નિવાસ કરવા માંગે છે. ઈશ્વર આજે પણ બોલે છે, 'મારા માટે એક પવિત્રસ્થાન (પવિત્ર સ્થળ) બનાવો કે, હું તમારી મધ્યે રહું.’ તે હેતુથી જ ઈશ્વર પતિ અને પત્નીને લગ્નમાં જોડે છે. તેઓએ પોતાના ઘરને ઈશ્વરના નિવાસ માટે એક પવિત્રસ્થાન તરીકે બાંધવું જોઈએ.

ઈશ્વરના મહિમા માટે ઘર બાંધવું

સામાન્ય રીતે, જ્યારે લોકો લગ્ન કરે છે, ત્યારે તેઓ પોતાના માટે એક ઘર બાંધવાનું વિચારે છે. દરેક બિન-ખ્રિસ્તી યુગલનો ધ્યેય આ જ હોય ​​છે. પણ વિશ્વાસીઓ તરીકે, જો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને તેમના વચનનું સન્માન કરવા માંગતા હોઈએ, તો આપણે પોતાના માટે ઘર ન બાંધવું જોઈએ. આપણે ઈશ્વરના નિવાસ માટે એક પવિત્રસ્થાન બાંધવું જોઈએ. આ ખરેખર ખ્રિસ્તી ઘર અને બિન-ખ્રિસ્તી ઘર વચ્ચેનો મૂળભૂત તફાવત છે. ઘણા વિશ્વાસીઓનો હેતુ એવો નથી હોતો તેથી આપણે તેમના ઘરોમાં એટલું બધું દુ:ખ અને અધર્મીપણું જોઈએ છીએ. તેઓએ પોતાનું ઘર પોતાના માટે બાંધ્યું, ઈશ્વર માટે નહિ.

જ્યારે લોકો લગ્ન કરે છે, ત્યારે તેમને ઘણી આશા હોય છે કે તેઓ કેટલા ખુશ રહેશે. પણ છ મહિના પછી, તેમને વાસ્તવિકતા સમજાય છે, કે આ એક અલગ બાબત છે. તેઓ સતત એકબીજા સાથે ઝઘડો કરે છે અને બૂમો પાડે છે. જ્યારે તેઓ તેમની દસમી લગ્નગાંઠ પર પહોંચે છે, ત્યારે ઘણા યુગલો એકબીજાથી થાકેલા અને કંટાળી ગયા હોય છે. આવું કેમ? કેમ કે તેઓ સ્વાર્થી રીતે પોતાના માટે ઘર બાંધી રહ્યા હતા. પણ ઈશ્વરનું વચન આપણને શીખવે છે કે જો આપણે ઈશ્વરનો મહિમા કરવા અને તેમના માટે આપણું ઘર બાંધવાનો પ્રયાસ કરીએ તો જ આપણે સુખી લગ્ન જીવન જીવી શકીએ છીએ.

વિવાહિત યુગલો માટે ઈશ્વરનો હેતુ એ જ છે જે જૂના કરારમાં ઈઝરાયલીઓ માટે હતો. તે લોકોને લગ્નમાં એક કરે છે જેથી તેઓ તેમના મહિમા માટે ઘર બાંધી શકે. નિર્ગમનમાં, ઈશ્વરે ઈઝરાયલીઓને મંડપ માટે ચોક્કસ બાંધકામ યોજનાઓ આપી હતી, અને તેઓએ તેને બરાબર તેમના આદેશ મુજબ બાંધવાનું હતું. ઈઝરાયલીઓ નમ્ર બનીને ઈશ્વરની યોજનાનું બરાબર પાલન કરી શક્યા. પરિણામે, પ્રભુના ગૌરવથી મંડપ ભરાઈ ગયો (નિર્ગમન 40:34). જો તમે ઈચ્છો છો કે ઈશ્વરનો ગૌરવ તમારા ઘરમાં રહે, તો તમારે પણ ઈશ્વરની યોજના અનુસાર તમારું ઘર બાંધવું જોઈએ. શાસ્ત્રમાં પ્રભુએ જે રીતે આજ્ઞા આપી છે તે રીતે તમારા લગ્નને બાંધવાનો પ્રયાસ કરો. પછી ઈશ્વરનું ગૌરવ તમારા ઘરને પણ ભરી દેશે.

ઈશ્વરના હુકમ મુજબ ઘર બાંધવું

આપણે ઘણા ખ્રિસ્તી ઘરોમાં કડવાશ, ઈર્ષ્યા, બડબડાટ અને પૈસાનો પ્રેમ જોઈએ છીએ. આ બિન-ખ્રિસ્તી ઘરથી બહુ અલગ નથી. કારણ સ્પષ્ટ છે: ઈશ્વરનું ગૌરવ તે ઘરમાં રહી શકતું નથી, કેમ કે દંપતીએ ઈશ્વરના વચન અનુસાર તેને બાંધવાનો પ્રયાસ કર્યો નથી. તેના બદલે, તેઓએ પોતાની ઈચ્છા મુજબ પોતાનું ઘર બાંધ્યું.

કરિંથીઓને પહેલો પત્ર 11:3 માં, આપણે ઘર માટે ઈશ્વરનો આદેશ સ્પષ્ટપણે જોઈએ છીએ: “પુરુષનું શિર ખ્રિસ્ત છે અને સ્ત્રીનું શિર પુરુષ છે.” ખ્રિસ્તી ઘરોમાં આપણે ઘણીવાર લાકડાના પાટિયા પર આ વચનો જોઈએ છીએ - ''ખ્રિસ્ત આ ઘરના શિર છે.'' પણ વાસ્તવમાં, ખ્રિસ્ત ઘરના શિર નથી હોતા. જ્યારે ઈશ્વરે આદમ અને હવાને બનાવ્યા, ત્યારે તેમણે આદમને હવાના શિર તરીકે આપ્યો. ઈશ્વર પોતે આદમના શિર હતા. ઈશ્વરે તેમને એકસાથે જોડ્યા પછી, શાસ્ત્રમાં આપણે વાંચીએ છીએ કે શેતાન દ્રશ્યમાં પ્રવેશ્યો. આ આપણને શીખવે છે કે, આજે પણ, ઈશ્વર એક પુરુષ અને સ્ત્રીને લગ્નમાં જોડે છે કે તરત જ શેતાન આવશે. તેથી, આપણે સાવધ રહેવું જોઈએ. શેતાન આપણા ઘરમાં પ્રવેશવો જોઈએ નહિ.

શેતાન તે પહેલા ઘરમાં કેવી રીતે પ્રવેશ્યો? તે એટલા માટે થયું કે આદમ અને હવાએ ઈશ્વરના આદેશનું પાલન કર્યું ન હતું. જ્યારે શેતાન હવા પાસે આવ્યો અને તેને ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાનું સૂચન કર્યું, ત્યારે તેણે કહેવું જોઈતું હતું કે, "સારું, શેતાન, હું આ નિર્ણય મારી જાતે લઈ શકતી નથી. ઈશ્વરે મને એક શિર આપ્યું છે. મને પહેલા તેની સલાહ લેવા દો અને પછી હું તને જવાબ આપીશ." જો તેણે એવું કર્યું હોત તો વાત કેટલી અલગ હોત! પણ તેણે શેતાન સાથે ચર્ચા ચાલુ રાખી અને અંતે તેના શિરની સલાહ લીધા વિના નિર્ણય લીધો. તેણે ઈશ્વરના નિયમનું ઉલ્લંઘન કર્યું, પછી તેના પતિને પણ ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાનું કહ્યું. આદમે તેને કહેવું જોઈતું હતું કે, "ઈશ્વર મારું શિર છે. મને તેમની સલાહ લેવા દે." પણ તેણે પણ ઈશ્વરના આદેશનું પાલન ન કર્યું. જો તેઓએ તેમના ઘર માટે ઈશ્વરના આદેશનું પાલન કર્યું હોત, તો આજે જગતમાં જે પાપ, દુઃખ અને મૂંઝવણ છે તે અસ્તિત્વમાં ન હોત. આ રીતે શેતાન આજે પણ ઘણા ઘરોમાં ઘૂસીને તેમને બરબાદ કરે છે. ગીતશાસ્ત્ર 127:1 કહે છે, "જો યહોવા ઘર ન બાંધે, તો તેના બાંધનારાનો શ્રમ મિથ્યા છે."

જો આપણે તેમના વચનનું બરાબર પાલન કરીએ તો જ ઈશ્વર આપણું ઘર બાંધી શકે છે.