written_by :   Zac Poonen categories :   The Home The Church Disciples
WFTW Body: 

ઘણા લોકો ચિંતાને પાપ નથી માનતા, જેમ ઘણા લોકો ગુસ્સો કરવો, પૈસાને પ્રેમ કરવો, માણસો પાસેથી માન મેળવવું, શત્રુનો ધિક્કાર કરવો, નફરત કરવી અથવા સફેદ જૂઠ બોલવાને પાપ નથી માનતા.

ઘણા લોકો આવી બાબતોને ફક્ત નબળાઈ કહે છે. જ્યાં સુધી તમે તેને "નબળાઈ" કહો છો, ત્યાં સુધી તમે તેનાથી ક્યારેય મુક્ત નહિ થાઓ. ઈસુ આપણને નબળાઈઓથી બચાવવા આવ્યા ન હતા; તે આપણને પાપથી બચાવવા આવ્યા હતા. જો આપણે કોઈ બાબતને પાપ તરીકે કબૂલ કરીએ, તો ઈસુ આપણને તેનાથી બચાવશે. પણ જો તમે તેને વધુ સુંદર નામ આપવાનો પ્રયાસ કરો છો, તો તમે ક્યારેય તેનાથી મુક્ત નહિ થાઓ. કોઈ બાબતને તમે શક્ય તેવા ખરાબ નામથી બોલાવો—વાસનાને "વ્યભિચાર" કહો, ક્રોધને "ખૂન" કહો, પૈસાના પ્રેમને "ઈશ્વરનો દ્વેષ" કહો, અને તમે તેનાથી મુક્ત થશો કેમ કે તમે જોશો કે તે કેટલું દુષ્ટ છે.

જો તમે એઇડ્સ અને કેન્સરને ઉધરસ કે શરદી જેટલા જ ગંભીર રોગ સમજો છો, તો તમે તેને ગંભીરતાથી લેવાના નથી. ઘણા લોકો આ પાપોને ખૂબ જ હળવાશથી લે છે, ભલે ઈસુએ તેની વિરુદ્ધ આટલી કડક વાત કરી હોય. હું તેમને દોષ નથી આપતો કેમ કે હું કહીશ કે તેમના આગેવાનો અને શિક્ષકોએ તેમને આ બાબતો શીખવી નથી. ખ્રિસ્તી ઉપદેશકો અને શિક્ષકોનો ખૂબ અભાવ છે જે ઈશ્વરનું સંપૂર્ણ સત્ય કહે છે અને જે માણસોનું સન્માન શોધતા નથી. એવા ઉપદેશકો બહુ ઓછા છે જે કોઈના પૈસા નથી માંગતા પણ સત્ય બોલવા માંગે છે જેથી ઈશ્વરના લોકોને આત્મિક મદદ મળે. તે એક ડૉક્ટર જેવું છે જે તમારા પૈસામાં રસ ધરાવતો નથી પણ જે તમને સ્વાસ્થ્ય તરફ દોરી જાય છે. આવા ઉપદેશકો બહુ ઓછા છે.

લોકો ચિંતાને પણ નબળાઈ કહે છે. તે ફક્ત એક નબળાઈ નથી.

માથ્થી 6:25-34 માં ત્રણ વખત, સૃષ્ટિના પ્રભુ, ઈસુ ખ્રિસ્ત કહે છે, "ચિંતા ન કરો." ફક્ત દસ કલમોમાં, પ્રભુ ત્રણ વખત "ચિંતા ન કરો" કહે છે. આ એ જ પ્રભુ છે જેમણે આપણને ખૂન ન કરવાનો, વ્યભિચાર ન કરવાનો અને ચોરી ન કરવાનો આદેશ આપ્યો છે. બધાને એક સાથે મૂકો: “ખૂન ન કરો, વ્યભિચાર ન કરો, ચોરી ન કરો અને ચિંતા ન કરો.” આમાંથી કયું પાપ નથી? શું તમે કહી શકો છો, “સારું, હું અઠવાડિયામાં ફક્ત એક કે બે વાર ચિંતા કરું છું?” તે એવું કહેવા જેવું છે કે, “હું અઠવાડિયામાં ફક્ત એક કે બે વાર લોકોનું ખૂન કરું છું” અથવા, “હું અઠવાડિયામાં એક કે બે વાર વ્યભિચાર કરું છું, બહુ વાર નહિ.”

આપણે કેટલાક પાપોને ગંભીરતાથી કેમ લઈએ છીએ, અને બીજાને નહિ? કેમ કે તમારા શિક્ષકોએ તમને શીખવ્યું નથી. ભય એ નબળાઈ નથી, તે પાપ છે—જેમ ખૂન એક પાપ છે. આપણે કેવી રીતે જાણી શકીએ કે પાપ શું છે? જો ઈશ્વર કહે છે કે તમારે તે ન કરવું જોઈએ, તો તે પાપ છે. જો ઈશ્વરે કહ્યું છે કે તમારે તમારી પત્નીને પ્રેમ કરવો જોઈએ, ભલે તમારી પત્ની દુષ્ટ સ્ત્રી હોય, તો પણ તમારે તેને પ્રેમ કરવો જોઈએ, કેમ કે ઈશ્વરે કહ્યું છે. અને જો ઈશ્વરે કંઈક ન કરવાનું કહ્યું છે, ભલે તમને તે ખરાબ ન લાગતું હોય, તો પણ તે ન કરો—તે દુષ્ટ બાબત છે. કારણ એ નથી કે મને લાગે છે કે વ્યભિચાર ખરાબ છે. ઈશ્વરે કહ્યું છે, "તે ન કરો." તેમણે કહ્યું છે, "ચિંતા ન કરો, અને ડરશો નહિ." હું ઈશ્વરે જે વિશે કહ્યું છે તે "કરશો નહિ" તે બાબતોને હું ખરાબ છે એ રીતે જોવા માંગુ છું.

ચિંતા ઈશ્વર સાથેની મારી સંગતનો નાશ કરે છે. ચિંતા કહે છે કે ઈશ્વર મારી કાળજી લેતા નથી. તે ઈશ્વરનું અપમાન છે. એક ચાર વર્ષનું બાળક જે કચરાપેટીમાંથી ખાઈ રહ્યો છે તેના વિશે તમે શું વિચારો છો? આપણા દેશમાં આવા ઘણા બધા છે. દુઃખદ રીતે, તેમના માતાપિતા નથી જે તેમની સંભાળ રાખે. શું આપણા સ્વર્ગીય પિતા આવા છે? શું આપણા સ્વર્ગીય પિતા આપણી કાળજી લેતા નથી? આપણા સ્વર્ગીય પિતાને તે બાળકોના પિતાની સમાન શ્રેણીમાં મૂકવા એ અપમાન છે જે તે કચરાપેટીમાંથી ખાઈ રહ્યા છે. આ બાળકોને ખબર નથી કે તેમનું આગામી ભોજન ક્યાંથી આવશે—તેમને ચિંતા કરવાનો અધિકાર છે, કેમ કે તેમના પૃથ્વી પરના પિતા તેમની કાળજી લેતા નથી. પણ જો તમારી પાસે સ્વર્ગીય પિતા છે અને તમે ચિંતિત છો, તો તમે કહી રહ્યા છો કે તમારા સ્વર્ગીય પિતા પણ તેવા જ છે.

"એ માટે હું તમને કહું છું કે, તમારા જીવને માટે ચિંતા ન કરો" (કલમ 25). તમારા જીવને માટે ચિંતા ન કરો કે, અમે શું ખાઈશું અથવા શું પીશું; અને તમારા શરીરને માટે ચિંતા ન કરો કે અમે શું પહેરીશું. શું જીવ ખોરાક કરતાં, ને શરીર વસ્ત્રો કરતાં અધિક નથી? લૂક આકાશનાં પક્ષીઓનું ઉદાહરણ લે છે! તેઓ તો વાવતાં નથી, ને કાપતાં નથી, ને વખારોમાં ભરતાં નથી, તોપણ તમારા આકાશમાંના પિતા તેઓનું પાલન કરે છે. તમે રસ્તા પર કેટલી વાર મરેલું પક્ષી જોયું છે? રસ્તા પર મરેલું પક્ષી જોવું એ એક દુર્લભ દૃશ્ય છે. મને લાગે છે કે હું મારી આંગળીઓ પર ગણી શકું છું કે મારા આખા જીવનમાં મેં રસ્તા પર મરેલું પક્ષી કેટલી વાર જોયું છે. તમે પક્ષીઓને ભૂખે મરતા ક્યાં જોયા છે? તે ખૂબ જ દુર્લભ બાબત છે. પૃથ્વી પર લાખો અને કરોડો પક્ષીઓ છે, અને તેઓને ખોરાક મળે છે ભલે તેઓ વાવતા નથી, કાપતા નથી, અને તેમને અહીં અને તહીં ખોરાક શોધવા જવું પડે છે. તેમને કોણ ખવડાવે છે? ઈસુએ કહ્યું કે તમારા સ્વર્ગીય પિતા તેમને ખવડાવે છે. તે તેમના સ્વર્ગીય પિતા નથી; તે તમારા સ્વર્ગીય પિતા છે. તે તેમના સર્જનહાર છે, અને તે તેમને ખવડાવે છે, પણ તમારી સાથે, તે ફક્ત તમારા સર્જનહાર નથી; તે તમારા પિતા છે. શું તમે આ પક્ષીઓ કરતાં ઘણા વધારે મૂલ્યવાન નથી?

મેં એક વાર એક નાનકડી કવિતા વાંચી હતી જે ખૂબ જ રસપ્રદ છે. તે બે નાના પક્ષીઓ એકબીજા સાથે વાત કરે તેના વિશે છે. રોબિને ચકલીને કહ્યું, "હું ખરેખર જાણવા માંગુ છું કે આ બેચેન માણસો શા માટે દોડાદોડ કરે છે અને ચિંતા કરે છે?" ચકલીએ રોબિનને કહ્યું, "મિત્ર, મને લાગે છે કે તારી અને મારી સંભાળ રાખનાર સ્વર્ગીય પિતા જેવું એમની પાસે કોઈ નથી.”

આપણે યાદ રાખવાની જરૂર છે કે આ ફક્ત એક સુંદર વાર્તા નથી. એવું વિચારવું કે ઈશ્વરને આપણી દરેક ચિંતાની પરવા નથી તે તેમનું અપમાન છે.

આનો ઉકેલ શું છે? ફિલિપીઓને પત્ર 4:6 માં બાઇબલ કશાની ચિંતા ન કરવાનું કહે છે. તે એક સંપૂર્ણ વિધાન છે, "કશાની ચિંતા ન કરો." પણ આપણે ચિંતાના કારણ વિશે કંઈક કરવાની જરૂર છે. કદાચ કોઈ સમસ્યા છે જેનો તમે અત્યારે સામનો કરી રહ્યા છો, અને તમને ખબર નથી કે તે કેવી રીતે કાર્ય કરશે. તમારે શું કરવું જોઈએ? ઈશ્વર કંઈ ન કરવાનું કહેતા નથી; તે તેના વિશે પ્રાર્થના કરવાનું કહે છે. પ્રાર્થનાનો અર્થ છે ઈશ્વરને ચોક્કસ વિનંતી કરવી અને ઈશ્વરને ચોક્કસ રીતે જણાવવું કે સમસ્યા શું છે. પ્રાર્થના પછી, આભારસ્તુતિ સહિત પ્રાર્થના પૂર્ણ કરવાનું ભૂલશો નહિ. આભારસ્તુતિ એટલે, 'પિતા, મારી પ્રાર્થના સાંભળવા બદલ આભાર, અને મારી સંભાળ રાખવા બદલ આભાર.' ઈશ્વરનો આભાર માનવો એ એક રસીદ જેવું છે—એક સ્વીકૃતિ કે મારો પત્ર ઈશ્વરની હાજરીમાં પહોંચ્યો છે અને તેમણે પત્ર પ્રાપ્ત કર્યો છે—જ્યારે હું કહું છું કે, "મને સાંભળવા બદલ આભાર" તે એજ છે.

ફિલિપીઓને પત્ર 4:7 કહે છે, ત્યારે "ઈશ્વરની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે, તે ખ્રિસ્ત ઈસુમાં તમારા હૃદય અને મનની સંભાળ રાખશે (સંભાળ રાખવી/રક્ષા કરવી એક લશ્કરી શબ્દ છે—કિલ્લાની જેમ)."

ચિંતા ન કરવી એ એક આદેશ છે જે આપણે પાળવો જોઈએ. જ્યારે હું ચિંતાથી મુક્ત હોઉં છું, ત્યારે હું નિરાશાથી પણ મુક્ત થઈશ. આ એક અદ્દભૂત પગલું છે જે આપણે લેવું જોઈએ.