છેલ્લા કેટલાક અઠવાડિયાથી, આપણે એ સમજવાની કોશિશ કરી રહ્યા છીએ કે મહાન આદેશને તેની સંપૂર્ણતામાં પૂર્ણ કરવાનો અર્થ શું છે. ઈસુ માથ્થી 28:19 માં કહે છે, કે આપણે દરેક દેશમાં જવું જોઈએ અને શિષ્ય બનાવવા જોઈએ, તેથી આપણે લૂક 14 માં વર્ણવેલ શિષ્યપણાની શરતોની તપાસ કરી રહ્યા છીએ:
પ્રથમ, આ પૃથ્વી પરના કોઈપણ મનુષ્ય કરતાં ખ્રિસ્તને વધુ પ્રેમ કરવો. ગીતશાસ્ત્ર 73:25 ખરા શિષ્યની કબૂલાત છે: "તમારા વિના આકાશમાં મારો બીજો કોણ છે? અને પૃથ્વી પર મારો બીજો કોઈ પ્રિય નથી." હું આ જગતમાં ખ્રિસ્ત કરતાં વધુ કશું જ ઈચ્છતો નથી.
બીજું, મારી પોતાની ઈચ્છા અને મારી પોતાની પસંદગી કરતાં ખ્રિસ્તને વધુ પ્રેમ કરવો. "ઈશ્વર, હું કોઈ પણ બાબતમાં મારી પસંદગી ઈચ્છતો નથી. હું મારા જીવનના દરેક ક્ષેત્રમાં તમારી ઈચ્છા પ્રમાણે કરવા ઈચ્છું છું -- હું મારો સમય, મારા પૈસા, મારી શક્તિ, મારું જીવન, મારી મહત્વાકાંક્ષાઓ કેવી રીતે વાપરીશ તે બધું જ. મારું ભવિષ્ય હું ઈસુના ચરણો આગળ મુકું છું."
ત્રીજું, મારી બધી સંપત્તિ છોડી દેવા માટે પૃથ્વી પરની દરેક બાબતને ઢીલી રીતે પકડી રાખો, કારણ કે ખ્રિસ્ત મારા માટે તે બધી બાબતો કરતાં વધુ મહત્વ ધરાવે છે. જો ઈશ્વર તેમાંથી કેટલીક બાબતો લઈ લે છે અથવા હું તેમાંથી કેટલીક બાબતો ગુમાવીશ, તો હું અયૂબ 1:21 માં અયૂબે કહ્યું તેમ કહીશ, "ઈશ્વરે આપ્યું અને ઈશ્વરે લઈ લીધું, ઈશ્વરના નામને ધન્ય હો." એ ખરા શિષ્યની વૃત્તિ છે.
જો કોઈ વ્યક્તિ શિષ્યપણાની આ ત્રણ શરતો પૂરી ન કરે, તો લૂક 14 મુજબ, તે શિષ્ય નથી.
જ્યારે ઈસુએ માથ્થી 28:19 માં તેમના પ્રેરિતોને કહ્યું કે દરેક દેશમાં જાઓ અને શિષ્ય બનાવો, ત્યારે તેનો અર્થ એ હતો કે આપણે લોકોને એવી સ્થિતિમાં લાવવા જોઈએ જ્યાં તેઓ ખ્રિસ્તને ફક્ત તેમના પાપોના માફ કરનાર તરીકે જ નહીં, પણ તેમના પ્રભુ તરીકે પણ જાણે. તેનો અર્થ એ કે આપણે તેમને પૃથ્વી પર બીજા કોઈના કરતાં વધુ પ્રેમ કરીએ છીએ, આપણા પોતાના જીવ કરતાં વધુ, આપણી પોતાની ઈચ્છા કરતાં વધુ અને પૃથ્વી પર આપણી પાસેની બધી બાબતો કરતાં વધુ પ્રેમ કરીએ છીએ. તે આપણા માટે તે બધા કરતાં વધુ મહત્વ ધરાવે છે.
શું તમે કહી શકો છો કે સુવાર્તાનો ઉપદેશ આપતા ખ્રિસ્તી મિશનરીઓએ અને પ્રચારકોએ મહાન આદેશનો તે બીજો ભાગ પૂરો કર્યો છે? હું કહીશ ના. શું તમે જુઓ છો કે મેં શા માટે માર્ક 16:15 ને 99% લોકો પૂર્ણ કરે છે અને માથ્થી 28:19-20 1% પૂર્ણ કરે છે એ ઉદાહરણનો ઉપયોગ કર્યો? લાકડાનો એક છેડો 99 લોકોએ પકડ્યો છે અને લાકડાનો બીજો છેડો એક વ્યક્તિએ પકડી રાખ્યો છે? તેથી જ મેં જોયું કે પ્રભુએ મને તેડું આપ્યું છે કે હું જાઉં અને એક વ્યક્તિ કે જેણે લાકડાનો બીજો છેડો પકડી રહ્યો છે તેને મદદ કરું. હું માનું છું કે આજે તે એક મહાન જરૂરિયાત છે, અને આ જ કારણ છે કે ઘણા દેશોમાં ખ્રિસ્તી ધર્મની આટલી ખરાબ સાક્ષી છે.
આપણે બધા જાણીએ છીએ કે કેવી રીતે નવો જન્મ પામેલા ખ્રિસ્તીઓએ ઈશ્વરના નામની આવી બદનામી કરી છે. શા માટે? કારણ કે તેઓ માત્ર બદલાણ પામ્યા છે; તેઓ શિષ્યો બન્યા નથી. તેઓ તેમની પોતાની ઈચ્છા છોડી દેવાનું, અથવા તેમની પાસેની બાબતો પ્રત્યેના લગાવથી દૂર રહેવાનું શીખ્યા નથી, અને તેથી અંતિમ પરિણામ એ છે જે ઈસુએ લૂક 14 માં કહ્યું છે: તેઓ એવા લોકો જેવા છે જેમણે પાયો નાખ્યો છે, પરંતુ મકાન પૂર્ણ કરવા માટે તેમની પાસે પૂરતું નથી.
લૂક 14 માં શિષ્યપણા પરના આ સમગ્ર વિભાગની મધ્યે, ઈસુ એક માણસ વિશે વાત કરે છે જે એક બુરજ બનાવવા માંગે છે, જે સમગ્ર ખ્રિસ્તી જીવનનું ચિત્ર છે. જ્યારે તે પાયો પૂરો કરે છે, ત્યારે કહેવામાં આવ્યું છે કે તેની પાસે તેને પૂર્ણ કરવા માટે પૂરતું નથી. તેનો અર્થ - જો તમે તેને શિષ્યપણાની આ ત્રણ શરતોના સંદર્ભમાં જોશો - તો તે એ છે કે તે કિંમત ચૂકવીને બુરજ પૂર્ણ કરવા માટે તૈયાર નથી. કદાચ તેની પાસે પૈસા છે, પરંતુ તે કહે છે, "હું તેને પૂર્ણ કરવા માંગતો નથી."
પાયો - એકવાર આપણા પાપો માફ થઈ જાય અને આપણને પવિત્ર આત્મા આપવામાં આવે તે છે - આપણે ઈશ્વરના બાળકો બનીએ છીએ. પરંતુ શું ખ્રિસ્તી જીવન માટે તે પૂરતું છે? તે એક બુરજ હોવો જોઈએ, ઈસુએ જે કહ્યું તે મુજબ, માત્ર પાયો જ નહીં. કલમ 29 કહે છે કે આવી વ્યક્તિ જે બુરજને પૂર્ણ કરતી નથી તે મશ્કરીને પાત્ર બને છે, અને સ્વર્ગમાંના દૂતો અચરજ પામે છે કે ખ્રિસ્તીઓ જેઓ ફક્ત તેમના ખ્રિસ્તી જીવનમાં પાયો નાખે છે એવી કલ્પના કરીને કે તેઓ ખ્રિસ્તી ધર્મના હેતુને સંપૂર્ણ કરે છે.
તેથી જ માથ્થી 28:19 માં શું કહેવામાં આવ્યું છે તેના પર ભાર મૂકવો અને સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, કે આપણે દરેક દેશમાં જઈને શિષ્યો બનાવવા જોઈએ. આજે તમે જે પણ દેશમાં છો, જો તમે પ્રચાર કરી રહ્યા છો, તો તમારે શિષ્ય બનાવવા જોઈએ.
ઈસુએ મહાન આદેશના આ બીજા ભાગનો અંત એમ કહીને કર્યો, "જુઓ હું સર્વકાળ તમારી સાથે છું." ટૂંકમાં, "જો તમે આ કરો છો, તો બધા દેશોમાં જાઓ અને શિષ્યો બનાવો, હું સર્વકાળ તમારી સાથે રહીશ." આપણે શરત પૂરી કર્યા વિના તે અકલ્પનિય વચનનો દાવો કરી શકતા નથી.
પરંતુ જો આપણે શિષ્યો બનાવીએ, તો તે કેટલી અદ્ભુત ખાતરી છે: જો મેં આખી દુનિયામાં જવાનો, સુવાર્તાનો ઉપદેશ આપવાનો અને શિષ્યો બનાવવાનું નક્કી કર્યું છે, તો ઈશ્વર સર્વકાળ મારી સાથે રહેશે.